17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ…

17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ…

Gujrat
0

 17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ….

પિતૃ પક્ષ શ્રાદ્ધ તર્પણ અર્પણ_
 શ્રદ્ધા પુર્વક અર્પણ કરવામાં આવેલ ભોગ એટલે શ્રાદ્ધ.
   પિતૃપક્ષનું શ્રાધ્ધ હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પિતૃ પક્ષ એટલે પૂર્વજોને શાંતિ આપવાનો સમય. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને અન્ય પુણ્ય કાર્ય કરવામાં આવે છે.  ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થતો પિતૃ પક્ષ આસોની મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી તિથિ પ્રમાણે માનવામાં આવે છે.
     એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન ત્રણ પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. મૃત્યુ પછી, આ ત્રણ પેઢીઓની આત્માઓ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પિતૃલોકમાં રહે છે અને પિતૃ પક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે.
    પિતૃપક્ષ શ્રાધ્ધ પિતૃઓની આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, શ્રાદ્ધ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે અને બ્રાહ્મણોને તથા સગા વ્હાલાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ પાસેથી મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
જાણો સર્વ પિતૃ...

આ વખત ની તમામ તારીખ વાઈઝ

Pitru Paksha is starting from September 17, this is the date of Shraddha....

  • સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું ઘણું મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, જે અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસો પૂર્વજોને અર્પણ કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ, તર્પણ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. પિતૃ પક્ષને શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આપણા પૂર્વજોના આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને પિતૃઓની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે.

આ વખતે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે અને તે બીજી ઑક્ટોબર સુધી ચાલશે. આપણે શ્રાદ્ધની તિથિઓ જાણીએ.


💥17 સપ્ટેમ્બર મંગળવારના રોજ પૂર્ણિમા શ્રાદ્ધ છે. 

💥એકમનું શ્રાદ્ધ શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર, બુધવારે છે. 

💥દ્વિતિયા (બીજ)નું શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર, ગુરુવારે છે. 

💥20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ત્રીજનું શ્રાદ્ધ, 

💥21 સપ્ટેમ્બર શનિવારે ચતુર્થી (ચોથ)નું શ્રાદ્ધ, 

💥22 સપ્ટેમ્બર રવિવારે પંચમીનું શ્રાદ્ધ કરવામાં આવશે. 

💥સોમવાર 23 સપ્ટેમ્બરના રોજ છઠ્ઠ અને સાતમનું શ્રાદ્ધ કરવામાં આવશે. 

💥24 સપ્ટેમ્બર મંગળવારના રોજ આઠમનું, 

💥25 સપ્ટેમ્બર બુધવારે નવમીનું, 

💥26 સપ્ટેમ્બરને ગુરુવારે દશમીનું શ્રાદ્ધ કરવામાં આવશે. 

💥27 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ એકાદશી (અગિયારસ)નું શ્રાદ્ધ, 

💥29 સપ્ટેમ્બર, રવિવારના રોજ બારસ (દ્વાદશી)નું શ્રાદ્ધ, 

💥30 સપ્ટેમ્બર, સોમવારના રોજ ત્રયોદશી (તેરસ)નું શ્રાદ્ધ, 

💥પહેલી ઑક્ટોબર મંગળવારના રોજ ચૌદસ (ચતુર્દશી) નું શ્રાદ્ધ 

💥બુધવાર બીજી ઑક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાવસ્યાના રોજ અમાવસ્યાનું શ્રાદ્ધ કરવામાં આવશે. 

જો કોઈને પોતાના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય તો તેમણે પિતૃ પક્ષના અંતિમ દિવસે એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ.

  • પિતૃ પક્ષના અવસર પર બિહારના ફાલ્ગુ નદીને કિનારે આવેલા ગયા ખાતે વિશ્વ પ્રસિદ્ધ પિતૃ પક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વિશ્વમાંથી હિંદુઓ તેમના માતાપિતા સહિત તેમના તમામ પૂર્વજો માટે શ્રાદ્ધ અને પિંડ દાન કરવા અહીં આવે છે. એમ કહેવાય છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે અહીં તેમના માતા-પિતા સાથે તેમના પૂર્વજોને તર્પણ અને પિંડ દાન પણ અર્પણ કર્યા હતા.

તિથિ પ્રમાણે પિતૃઓનું શ્રાદ્ધકરવાથી તેમનો આત્મા તૃપ્ત થાય છે અને ખુશ થઇને તેઓ પિતૃલોકમાં પાછા ફરે છે. તેમને પ્રસન્ન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

also read ::;ધારણ કરો આ ખાસ રત્નો, લોહચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા…Wear these special gems, money will be attracted like an iron magnet… 

  1. Do these 6 things as soon as you open your eyes in the morning, you will never lack money in life, happiness will last for life.

ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

અમારા ધાર્મિક ગ્રુપમાં જોડાવવા 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !