કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...*

કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...*

Gujrat
0

 *કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...*


ફ્રી છો તો શાંતિથી

વાંચજો. સુંદર ૧૧ વાતો

સમજવા જેવી છે.


૧ - ભગવાન કયારેય ભાગ્ય

      નથી લખતાં, જીવનના

     દરેક ડગલાં પર આપણો

     વિચાર,આપણો

     વ્યવહાર, આપણુ કર્મ

     જ આપણુ ભાગ્ય લખે

     છે.


૨ - પહેલાંના લોકો લોટ

     જેવા હતા, લાગણીનુ

      પાણી નાંખી એ તો

      ભેગા થઈને બંધાઈ

      જતાં, આજે લોકો રેતી

      જેવાં છે, ગમે તેટલું

      લાગણીનુ પાણી નાખો

      તો પણ છૂટા ને છૂટા.


૩ - નીતિ સાચી હશે તો

      નસીબ કયારેય પણ

      ખરાબ નહીં થાય,

      બીજો માણસ

     આપણામા વિશ્વાસ મૂકે

     એ જ આપણા

     જીવનની સૌથી મોટી

     સફળતા છે.


૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ

    આગળ જઈને કદાચ

    સુખી થઈ શકે છે, પરંતુ

    દુઃખ આપનાર વ્યક્તિ

    આગળ જઈને કયારેય

    સુખી થતો નથી.


૫ - માણસાઈ દિલમાં હોય

     છે, હેસિયતમાં નહીં,

     ઉપરવાળો માત્ર કર્મો જ

    જુએ છે, વસિયત નહીં.


૬ - તમે ગમે તેટલા શતરંજ

     ના મોટા ખેલાડી હો,

     પરંતુ સરળ વ્યક્તિ સાથે

     કરેલ કપટ તમારી

     બરબાદીના તમામ રસ્તા

     ખોલી નાખે છે.


૭- પ્રાણ ગયા પછી શરીર

     સ્મશાનમાં બળે છે અને

     સબંધોમાંથી પ્રેમ ગયા

     પછી માણસ મનોમન

     બળે છે.


૮ - જીવનમાં સ્વાર્થ પુરો

      થઈ ગયા પછી અને

      શરીરમાંથી શ્વાસ છુટી

      ગયાં પછી કોઈ કોઈની

      રાહ જોતું નથી.


૯ - જે જોઈએ તે મેળવીને

     જ જંપવુ એ કદાચ

     સફળ માણસની

     નિશાની છે, પણ જે

     મળ્યું હોય એમાં હસતો

     ચહેરો રાખીને જીવવું એ

     સુખી માણસની નિશાની

     છે.


૧૦ - ઈશ્વર જયારે આપે છે

       ત્યારે સારું આપે છે

       અને નથી આપતો

       ત્યારે વધું સારું

       મેળવવાનો રસ્તો આપે

       છે, પણ જયારે રાહ

       જોવડાવે છે...ત્યારે તો

       સૌથી ઉત્તમ ફળ જ

       આપે છે.


૧૧ - આ ચરણ તો માત્ર

       મંદિર સુધી જ લઈ

       જઈ શકે, આચરણ તો

       પરમાત્મા સુધી લઈ

      જઈ શકે...

  

આપને ઉચિત જણાય તો અન્યને પણ મોકલજો...

🦁

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !