અંધવિશ્વાસ ભગાઓ*.

અંધવિશ્વાસ ભગાઓ*.

Gujrat
0

 અંધવિશ્વાસ ભગાઓ*. 


*ગાડીમાં લીંબુ અને મરચુ બાંધવાથી સુરક્ષા મળતી તો ભારતમાં દુર્ઘટનાનો મૃત્યુદર શુન્ય થઇ જાય.*


*પુજા કરવાથી વ્યાપાર, ઉદ્યોગ ધંધામાં બરકત આવે તો બધા ઉદ્યોગપતિ હોય.*


*મોટા મોટા બાવાઓની પાસે જવાથી આપણા દુખોનું નિવારણ થઇ જતુ હોય તો બધા બાવાઓના ભકતો સુખી હોય.*


*કુંડળી મળી જવાથી પતિ-પત્નિના મન મળી જતા હોય તો બધા એરેન્જ મેરેજ યશસ્વી થયા હોત.*


*યજ્ઞ કરવાથી કોઇ ટીમ જીતી જતી હોય તો ભારત વિશ્વમાં કોઇ રમત હારી ન શકે.*


*જે દિવસે અને જે સમયે આપણો જનમ થયો તે દિવસ અને સમય આપણા માટે સારો જ છે.*

 

*જન્મ લઇએ ત્યારે કોઇ દિવસ મુહુર્ત નથી જોવામાં આવતુ અને મરવા માટે પણ કોઇ મુહુર્ત નથી જોવામાં આવતુ તો પછી શુભ-મુહુર્તની પાછળ કેમ ભાગો છો.*


*શુભ મુહુર્તમાં જન્મેલ બાળક હંમેશા વૈજ્ઞાનિક, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ઉદ્યોગપતિ જ હોય શકે? જો તમારૂ મન નિર્મળ હશે અને પ્રયાસ કરવાની ક્ષમતા હશે તો તમે યશસ્વી થવા માટે કોઇ સમય કે મેહુર્ત રોકી નહીં શકે.*


*એટલા માટે આજ અને અત્યારથી શુભ મુહુર્તમાં પડયા  વગર વૈજ્ઞાનિક વિચાર અપનાવો અને બીજાનો સમય બર્બાદ કર્યા વિના યશસ્વી બનો.*


*૩૩ કરોડ દેવી દેવતા ઘરમાં રાખવા છતાં પણ ભરોસો તાળા પર કેમ કરવામાં આવે છે એવુ કેમ?*


*આજ કાલ દેવી દેવતાઓના મંદિર પણ વિજ્ઞાનના ભરોસે છે નહીં તો સીસી ટીવી કેમેરાની શી જરૂર હોય છે.* 

*ખોટુ લાગ્યુ હોય તો બે રોટલી વધારે ખાજો પણ સાચુ માનતા શીખો સમજતા શીખો*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !